(N/A) પુનઃશોષણ:
દરરોજ બનતા ગાળણના કદ $(180 \text{ લિટર પ્રતિ દિવસ})$ અને મુક્ત થતા મૂત્રના કદ $(1.5 \text{ લિટર})$ ની સરખામણી સૂચવે છે કે ગાળણનો લગભગ $99\%$ ભાગ મૂત્રપિંડ નલિકાઓ દ્વારા પુનઃશોષિત થાય છે. આ પ્રક્રિયાને પુનઃશોષણ કહે છે.
આ પ્રક્રિયા મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગોમાં થાય છે. ઉદાહરણ તરીકે,ગાળણમાં રહેલા ગ્લુકોઝ,એમિનો એસિડ અને $Na^{+}$ જેવા પદાર્થોનું સક્રિય વહન દ્વારા પુનઃશોષણ થાય છે,જ્યારે નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું $PCT$ માં નિષ્ક્રિય વહન દ્વારા શોષણ થાય છે.
$PCT$ માંથી દૂર વહેતું ગાળણ હેન્લેના પાશમાં સાંદ્ર બને છે. જો હેન્લેના પાશની લંબાઈ વધુ હોય,તો મૂત્ર વધુ સાંદ્ર બને છે.
સ્ત્રાવ:
આ પ્રક્રિયા $DCT$ માં થાય છે જ્યાં નલિકાના કોષો $H^{+}$,$K^{+}$ અને એમોનિયા જેવા પદાર્થોનો ગાળણમાં સ્ત્રાવ કરે છે. ગ્લોમેરુલર ગાળણ દરમિયાન આ પદાર્થો ગળાઈ શકતા નથી. એમોનિયા,યુરિક એસિડ,$H^{+}$ આયનો અને પેનિસિલિન જેવી દવાઓ આ રીતે સ્ત્રાવ પામે છે.
આમ,મૂત્રનું નિર્માણ થાય છે જે સંગ્રહણ નલિકામાં વહન પામે છે. સંગ્રહણ નલિકામાં પાણીનું શોષણ થાય છે અને વધુ સાંદ્ર મૂત્ર મૂત્રપિંડ પેલ્વિસમાં ઠાલવવામાં આવે છે.